દુઃખદઃ જૂનાગઢ સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો, સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી

જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97માં વર્ષે નિધન થયુ્ં છે, છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે જૂનાગઢ સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે.

સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.

તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે તેવું સેવકો પાસેથી જાણવા મળી રહ્યુ છે.

error: Content is protected !!